અક્ષયકુમારનો ફૅન 900 કિલોમીટર ચાલીને દ્વારકાથી મુંબઈ પહોંચ્યો

02 September, 2019 11:41 AM IST  | 

અક્ષયકુમારનો ફૅન 900 કિલોમીટર ચાલીને દ્વારકાથી મુંબઈ પહોંચ્યો

અક્ષયકુમારનો ફૅન પરબત તેને મળવા માટે દ્વારકાથી ૯૦૦ કિલોમીટરનું અંતર ચાલીને મુંબઈ આવ્યો છે. પોતાના ફૅનની આટલી હદ સુધીની દિવાનગી જોઈને અક્ષયકુમાર ખૂબ ખુશ થયો હતો. જોકે અક્ષયકુમારે તેને સલાહ પણ આપી છે કે તમારી ઍનર્જીનો ઉપયોગ તમારી લાઇફને સારી બનાવવામાં કરવો જોઈએ. પરબત સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘દ્વારકાથી આવેલા પરબતને હું મળ્યો. તે દ્વારકાથી ૯૦૦ કિલોમીટર ચાલીને મુંબઈ આવ્યો છે. તેણે પોતાનો ૧૮ દિવસનો પ્લાન પણ એવી રીતે બનાવ્યો કે તે રવિવારે મને મળી શકે.

જો આપણા યુવાનો તેમનાં આવા પ્રકારની યોજનાઓ અને લગનને પોતાના લક્ષને પૂરાં કરવામાં લગાવે તો તેમને કોઈ અટકાવી ન શકે. તમને બધાને મળીને મને હંમેશાં આનંદ થાય છે. તમારા પ્રેમનો હું ખૂબ આભારી છું. જોકે હું સૌને એક સલાહ આપવા માગું છું કે પ્લીઝ, આવું કંઈ પણ ન કરો. તમારો સમય, તમારી ઍનર્જી અને સાધનોનો ઉપયોગ તમારી લાઇફને સારી બનાવવા માટે કરો. એ વસ્તુ મને વધુ ખુશ કરશે. પરબત તને ભરપૂર શુભેચ્છા.’

આ પણ વાંચો: ટાઇગર સાથે કામના અનુભવને હું મિસ કરીશ : હૃતિક રોશન

અક્ષયકુમારના ઘરે ગઈ કાલે લંચમાં શું બન્યું હતું?

૯૦૦ કિલોમીટર જેટલું ચાલીને છેક દ્વારકાથી મુંબઈ આવીને અક્ષયકુમારને મળેલા પરબત માડમને અક્ષયે તેના ઘરે જ જમાડ્યો હતો અને અક્ષય પણ એ સમયે તેની સાથે જમવા બેઠો હતો. અક્ષયકુમારના ઘરે ગઈ કાલે લંચમાં મગ, રોટલી, મગનું પાણી અને દાળ બન્યાં હતાં. અક્ષયે પરબત માટે ભાત મગાવ્યા હતા, પણ અક્ષયે જમવામાં એ નહોતા લીધા તો મગ પણ અક્ષયે બાફેલાં જ ખાધાં હતાં. બોઇલ કરેલાં મગમાં અક્ષયે સિંધાણું નમક અને કાળા મરીને પાઉડર છાંટ્યો અને એના પર લીંબુ નીચવ્યું હતું. અક્ષયકુમારની રોટલી પર દેશી ઘી લગાવ્યું હતું તો જમવામાં અક્ષયની થાળીમાં નાની વાટકી ભરીને ઘી આવ્યું હતું. અક્ષયે મગના પાણીમાં એટલે કે ઓસામણમાં ચમચી ભરીને ઘી નાખ્યું હતું. પરબતે કહ્યું હતું, ‘અમારા બન્ને માટે બધું સરખું જ આવ્યું હતું અને તો પણ અક્ષયકુમાર જે રીતે ખાતો હતો એ જ રીતે ખાવાની ઑફર મને કરતો હતો.’

 

akshay kumar gujarati mid-day bollywood gossips