વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો તાનાજી છે : અજય દેવગન

07 January, 2020 01:11 PM IST  |  Mumbai

વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો તાનાજી છે : અજય દેવગન

અજય દેવગન

અજય દેવગને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમનો ‘તાનાજી’ કહ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સનાં નૅરોલેક ક્રિકેટ લાઇવમાં અજય દેવગન અને કાજોલ પહોંચ્યા હતાં. આ બન્ને ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ના પ્રમોશન માટે ગયા હતા. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. વિરાટની પ્રશંસા કરતાં અજય દેવગને કહ્યું હતું કે ‘વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો ‘તાનાજી’ છે. તે કૉન્ફિડેન્ટ, આક્રમક અને કોઈ પણ સ્થિતિમાં જીત મેળવવા માગે છે.’

આ પણ વાંચો : લક્ષ્મી બૉમ્બની ટીમ વચ્ચે કોઈ મતભેદ નથી : અક્ષય

ક્રિકેટનાં પોતાનાં અનુભવ શૅર કરતાં અજય દેવગને કહ્યું હતું કે ‘હું બૅટ્સમૅન હતો. મારા સ્મરણોની વાત કરું તો ઘણાં છે. હું જ્યારે બૉલ કૅચ કરવા ગયો હતો ત્યારે મારા હાથની આંગળી તૂટી ગઈ હતી અને એ આજે પણ વળેલી છે.’

ajay devgn bollywood news virat kohli