પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને વિડિયો દ્વારા શ્રદ્ધાંજલિ આપશે ઐશ્વર્યા

03 June, 2019 09:07 AM IST  |  મુંબઈ

પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને વિડિયો દ્વારા શ્રદ્ધાંજલિ આપશે ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય બચ્ચન

પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને એક વિડિયો દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચન શ્રદ્ધાંજલિ આપશે. આવો જ એક વિડિયો થોડા સમય અગાઉ અમિતાભ બચ્ચન, આમિર ખાન, રણબીર કપૂર અને કાર્તિક આર્યને શૂટ કર્યો હતો. હવે આ ગીત ‘તું દેશ મેરા’નું શૂટિંગ ઐશ્વર્યાએ પણ પૂરું કર્યું છે. હૅપી પ્રોડક્શન ઇન્ડિયાએ આ ગીતને તૈયાર કર્યું છે.

આ પણ વાંચો : ... તો આ કારણે સલમાન ફિલ્મોમાં નથી કરતા કિસિંગ સીન

ઐશ્વર્યાનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને હૅપી પ્રોડક્શન ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘ઐશ્વર્યાએ હાલમાં જ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ગીતનું શૂટિંગ પૂરું કર્યું છે. એના માટે અમિતાભ બચ્ચન, આમિર ખાન, રણબીર કપૂર અને કાર્તિક આર્યને પહેલેથી જ ગીત શૂટ કર્યું હતું. હૅપી પ્રોડક્શન ઇન્ડિયા અને સીઆરપીએફના સહિયારા પ્રયાસથી બનાવવામાં આવ્યું છે.’

aishwarya rai bachchan bollywood news