10 September, 2019 06:29 PM IST | મુંબઈ
સોમવારે આમિર ખાને જાહેરાત કરી કે તેઓ સુભાષ કપૂરની ફિલ્મ મુગલમાં ફરી કામ કરી રહ્યા છે. કેટલાક સમય પહેલા આમિર ખાને આ ફિલ્મ ન કરવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે ડિરેક્ટર સુભાષ કપૂર પર મી ટુ અભિયાન અંતર્ગત યૌન શોષણના આરોપ લાગ્યા હતા. જો કે હવે આમિર ખાને આ જ પ્રોજેક્ટમાં કામ કરવા હા પાડી દીધી છે.
આ મામલે આમિર ખાને એક અખબારને ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેમણે પોતાના નિર્ણય અંગે ખુલાસો કર્યો છે. આમિર ખાને આ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેમણે મુગલ માટે અક્ષયકુમાર, વરુણ ધવન અને કપિલ શર્માનો પણ સંપર્ક કર્યો હતો. આ ફિલ્મ ટી સિરીઝના સંસ્થાપક ગુલશન કુમારના જીવન પર આધારિત છે. આમિર ખાને પોતે ગુલશનકુમારનું પાત્ર ભજવવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મના કાસ્ટિંગ વિશે વાત કરતા આમિરા ખાને કહ્યું હતું કે તેઓ શરૂઆતમાં અક્ષયકુમારને ફિલ્મમાં લેવા ઈચ્છતા હતા. ભૂષણ કુમાર અને અક્ષયકુમાર વચ્ચે મિશન મંગલનને વાત બની નહોતી તેમ છતાંય આમિર અક્ષયકુમારને કાસ્ટ કરવા ઈચ્છતા હતા.
અક્ષયકુમારે આ પ્રસ્તાવ પર વિચાર પણ કર્યો, પરંતુ તેમને કેટલીક બાબતો ન ગમી એટલે તેમણે ફિલ્મને અન્ય ફિલ્મોને કારણે ના પાડી દીધી. ફિલ્મ મુગલને આમિર ખાન પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. આમિર ખાને બાદમાં વરુણ ધવનને પણ આ રોલ ઓફર કર્યો હતો. જો કે વરુણ ધવન પોતાની ફિલ્મોમાં વ્યસ્ત હતા.
આ પણ વાંચોઃ આ છે એવા સેલિબ્રિટી કપલ, જેમના લગ્ન રહ્યા છે નિષ્ફળ
આમિર ખાન કોમેડિયન કપિલ શર્માને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરવા ઈચ્છતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે કપિલ આ રોલ સારી રીતે કરી શક્શે. પરંતુ તે નક્કી થયું. છેલ્લે ભૂષણકુમારે આમિરને પોતે જ રોલ કરવા કહ્યું. આમિરને ફિલ્મની સ્ટોરી ગમી અને રોલ પણ ગમ્યો, એટલે છેલ્લે તેમણે જ લીડ રોલ કરવાનું નક્કી કર્યું.