સૅટેલાઇટ શંકરની સ્ટોરી બહાદુર જવાનોની છે : સૂરજ પંચોલી

06 April, 2019 09:51 AM IST  | 

સૅટેલાઇટ શંકરની સ્ટોરી બહાદુર જવાનોની છે : સૂરજ પંચોલી

સૂરજ પંચોલી

‘સૅટેલાઇટ શંકર’માં અગત્યની ભૂમિકામાં જોવા મળનાર સૂરજ પંચોલીએ જણાવ્યું હતું કે આ ફિલ્મની સ્ટોરી બહાદુર જવાનોની કથા વર્ણવશે. બૉલીવુડમાં સૈનિકો અને જાસૂસો પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં સૂરજે કહ્યું હતું કે ‘હું આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ એક્સાઇટેડ હતો, કારણ કે આ ફિલ્મની સ્ટોરી જવાનોની રિયલ લાઇફ પર આધારિત છે. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે કોઈ લેવાદેવા નથી. દિલને પીગળાવી દેનારી બહાદુર જવાનોની આ સ્ટોરી છે. આ એક ખૂબ જ નવી અને પ્યૉર સ્ટોરી છે જે લોકો સમક્ષ લાવવી પણ જરૂરી છે.’

આ પણ વાંચો : 'ગુડ ન્યુઝ'નો ફર્સ્ટ લૂક જાહેર, અક્ષય, કરીના, દિલજીત મુખ્ય ભુમિકામાં

આ ફિલ્મ ૫ જુલાઈએ રિલીઝ થવાની છે જેના પ્રમોશનલ ગીત માટે સૂરજ ૨૦ સૈનિકો સાથે શૂટિંગ કરવાનો છે. આ વિશે સૂરજે કહ્યું હતું કે ‘ફિલ્મમાં જવાનોની સાથે ગીતનું શૂટિંગ કરવાની હાલમાં તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ જવાનોના સમર્પણ અને બલિદાન પર આધારિત છે એથી અમે તેમને આ ફિલ્મના ગીતમાં સામેલ કરવા માગીએ છીએ.’

sooraj pancholi bollywood news