02 August, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ કેટલીક કંપનીઓના શેર (Stock Market Today)માં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે શેરબજારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. દરેક ક્ષેત્રનો નિફ્ટી ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ છે.
આજે શેરબજારમાં થયેલી અંધાધૂંધીમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 4.42 લાખ કરોડ રુપિયાનો ઘટાડો થયો છે, એટલે કે, બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 4.42 લાખ કરોડ રુપિયાનો ઘટાડો થયો છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ (BSE) સેન્સેક્સ (Sensex) હાલમાં 570.00 પોઈન્ટ એટલે કે 0.70% ના ઘટાડા સાથે 80911.86 પર છે અને નિફ્ટી (Nifty) ૫૦ 173.15 પોઈન્ટ એટલે કે 0.70 ટકા ના ઘટાડા સાથે 24681.90 પર છે.
આજે, નિફ્ટી સૂચકાંકો તેમજ શેરોના માસિક ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ સમાપ્ત થઈ રહ્યા છે, તેથી આના કારણે બજારમાં પહેલેથી જ તીવ્ર અસ્થિરતાની શક્યતા હતી, પરંતુ ટ્રમ્પના ટેરિફથી વેચાણ દબાણ વધ્યું. એક ટ્રેડિંગ દિવસ પહેલા, સેન્સેક્સ 143.91 પોઈન્ટ એટલે કે 0.18 ટકા ના વધારા સાથે 81,481.86 પર બંધ થયો હતો અને નિફ્ટી ૫૦ 33.95 પોઈન્ટ એટલે કે 0.18% ના ઉછાળા સાથે 24,855.05 પર બંધ થયો હતો.
એક ટ્રેડિંગ દિવસ પહેલા, એટલે કે ૩૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ, BSE પર લિસ્ટેડ તમામ શેરનું કુલ માર્કેટ કેપ 4,52,29,316.83 કરોડ રુપિયા હતું. આજે, એટલે કે ૩૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ, બજાર ખુલતાની સાથે જ, તે ઘટીને 4,47,86,456.87 કરોડ રુપિયા થઈ ગયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં 4,42,859.96 કરોડ રુપિયાનો ઘટાડો થયો છે.
સેન્સેક્સમાં 30 શેર લિસ્ટેડ છે, જેમાંથી ફક્ત 5 ગ્રીન ઝોનમાં છે. એટરનલ, પાવરગ્રીડ અને ટાટા સ્ટીલમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. બીજી તરફ, એરટેલમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે BSE પર 2446 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. આમાંથી ફક્ત 490 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, 1823 શેર નીચે તરફ વલણ બતાવી રહ્યા છે અને 133 શેરમાં કોઈ ફેરફાર દેખાઈ રહ્યો નથી. આ ઉપરાંત, 25 શેર એક વર્ષની ઊંચી સપાટીએ અને 34 શેર એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા છે. જ્યારે 57 શેર ઉપલા સર્કિટ પર પહોંચ્યા છે, 45 શેર નીચલા સર્કિટ પર પહોંચ્યા છે.
શેરબજારમાં આ ઘટાડાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ અસર પડી છે અને હવે બધાની નજર આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર તણાવ વધુ વધશે કે પછી વાતચીત દ્વારા ઉકેલ મળશે તેના પર છે.