15 June, 2019 02:56 PM IST |
પ્રતીકાત્મક તસવીર
ભારતીય રિઝર્વ બેન્કે ATMની સુરક્ષા વધારવા માટે બેન્કોને શુક્રવારે નવા આદેશ આપ્યા છે. સેન્ટ્રલ બેન્કની બેન્કોને કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બરના અંત સુધી બધા જ ATM દિવાલ, થાંભલા કે જમીન સાથે જોડાયેલા હોવા જોઈએ. વધારે સુરક્ષિત જગ્યાઓ જેવી કે હવાઈ અડ્ડાઓમાં લાગેલા ATMને આ બાબતે છૂટ આપવામાં આવી છે. રિઝર્વ બેન્કે 2016માં સુરક્ષાના તમામ એકમોની તપાસ કરતા રૂપિયાની ટ્રાન્ઝેક્શન માટે સમિતિની રચના કરી હતી. આ સમિતી દ્રારા આપવામાં આવેલી માહિતીના આધારે RBI દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ATM મશીન ચોરી થવાના કિસ્સા સામે આવ્યા હતા જેના કારણે RBIએ ATMની સુરક્ષા વધારવા માટે આ પગલા ભર્યા છે. સુરક્ષાના ઉપાયો અંતર્ગત મશીનમાં કેસ ભરવા માટે માત્ર વન ટાઈમ કોમ્બિનેશન લોક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય 30 સપ્ટેમ્બર 2019 સુધી તમામ એટીએમના દિવાલ, જમીન કે થાંભલા સાથે જોડી દેવામાં આવશે જેના કારણે તેને સરળતાની તોડી શકાય નહી. આ સિવાય આરબીઆઈ દ્વારા બેન્કોને ઈ-સુપરવિઝન પર પણ વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે જેના કારણે એટીએમમાં ચોરી થતા બચાવી શકાય
આ પણ વાંચો: ગુજરાતમાં મે મહિના વ્હિકલ્સના રજીસ્ટ્રેશનમાં 17.8 ટકાનો ઘટાડો: FADA
સેન્ટ્રલ બેન્ક દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો બેન્ક દ્વારા આ આદેશોનો પાલન કરવામાં આવશે નહી નિયમ ભંગ કરાશે તો તેમની પર કાયદેસરના પગલા લેવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે.