14 September, 2022 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હોમલોન સહિતની લોન વધુ મોંઘી થાય એવી સંભાવના છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ઑગસ્ટમાં રિઝર્વ બૅન્કની સહનશીલતા મર્યાદાકરતાં ફુગાવો વધુ વધ્યો હોવાનું ડેટા દર્શાવે છે. એ પછી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા આ મહિને વ્યાજના દરમાં વધુ ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરી શકે છે.
ભારતનો છૂટક ફુગાવાનો દર ઑગસ્ટમાં વધીને સાત ટકા થયો હતો જે અગાઉના મહિનામાં ૬.૭૧ હતો.
બાર્કલેઝ બૅન્કના ચીફ ઇન્ડિયા ઇકૉનૉમિસ્ટ રાહુલ બાજોરિયાએ જણાવ્યું હતું કે ‘નીતિના પરિપ્રેક્ષ્યમાં ૩૦ સપ્ટેમ્બરે આગામી (મૉનેટરી પૉલિસી કમિટી)ની બેઠકમાં ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્ક વ્યાજના દરમાં વધારો કરી શકે છે.’
કૅપિટલ ઇકૉનૉમિક્સના વરિષ્ઠ ભારતીય અર્થશાસ્ત્રી શીલન શાહે એક નોંધમાં જણાવ્યું હતું કે ‘એ સ્પષ્ટ છે કે ફુગાવો અસ્વસ્થપણે ઊંચો છે અને (ઑગસ્ટ)ના ડેટા ઘણા મૉનેટરી પૉલિસીના સભ્યોની ચિંતાને હળવી કરવા માટે બહુ ઓછું કામ કરશે, જેઓ પ્રમાણમાં વ્યાજદર વધારાનો ટોન ચાલુ રાખશે.’
શાહ અપેક્ષા રાખે છે કે આરબીઆઇ સપ્ટેમ્બરની બેઠક પછીની બે બેઠકોમાં ૨૫ બેસિસ પૉઇન્ટના વધારા પર સ્વિચ કરશે જે આવતા વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં રેપો રેટ ૬.૪૦ પર લઈ જશે.
રિઝર્વ બૅન્ક ૩૫-૫૦ બેસિસ પૉઇન્ટ વધારી શકે : એસબીઆઇ
ઑગસ્ટમાં એલિવેટેડ રીટેલ ફુગાવાનો સામનો કરવો પડે છે, ભારતીય રિઝર્વ બૅન્ક એની આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં વ્યાજના દરોમાં ૩૫-૫૦ બેસિસ પૉઇન્ટની રેન્જમાં વધારો કરે એવી અપેક્ષા છે, એમ એસબીઆઇ રિસર્ચે જણાવ્યું હતું.