14 May, 2022 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીરેન્દ્ર લાકરા અને રૂપિન્દર પાલ (ઇનસેટ)
હજી બે દિવસ પહેલાં ભારતની મેન્સ હૉકી ટીમના કૅપ્ટન તરીકે નિમાયેલો રૂપિન્દર પાલ સિંહ ઈજાને કારણે આગામી એશિયા કપમાં નહીં રમે. આ સ્પર્ધા ૨૩ મેએ જકાર્તામાં શરૂ થઈ રહી છે. રૂપિન્દરને પ્રૅક્ટિસ દરમ્યાન કાંડામાં ઈજા થઈ હતી. તેના સ્થાને નીલમ સંજીપ ઝેસ રમશે. અનુભવી ખેલાડી બીરેન્દ્ર લાકરા કૅપ્ટન તરીકે નિયુક્ત થયો છે. એસ. વી. સુનીલ વાઇસ-કૅપ્ટન તરીકે નિમાયો છે. ૨૦ મેમ્બર્સની ટીમના બે ગોલકીપરમાં પંકજકુમાર રાજક અને સૂરજ કરકેરાના સમાવેશ છે.