ફાધર ડેના દિવસે જ કરવું પડ્યું પિતાની અસ્થિનું વિસર્જન

22 June, 2021 12:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મિલ્ખા સિંહનું શુક્રવારે રાતે કોરોના સામે એક મહિના લડ્યા બાદ અવસાન થયું હતું

મિલ્ખા સિંહની અસ્થિનું વિસર્જન

ફાધર ડેના દિવસે પુત્ર પિતાને ભેટતો હોય છે, ત્યારે જાણીતા ગોલ્ફર જીવ મિલ્ખા સિંહે રવિવારે ફાધર ડેના દિવસે પિતા અને લેજન્ડ દોડવીર મિલ્ખા સિંહનાં અસ્થિનું વિસર્જન કરવાની વેળા આવી હતી. પંજાબના રૂપનગર જિલ્લાના કિરતપુર સાહિબમાં આવેલા પાતાલપુરી ગુરુદ્વારામાં વિસર્જન વખતે તે ખૂબ ભાવુક થઈ ગયો હતો અને રડી પડ્યો હતો. મિલ્ખા સિંહનું શુક્રવારે રાતે કોરોના સામે એક મહિના લડ્યા બાદ અવસાન થયું હતું અને શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

sports sports news milkha singh