ટેસ્ટ માટે સેન્ટર આપવાં સારી વાત છે, પરંતુ પાંચ ઓછાં છે : ઝહીર ખાન

18 November, 2019 12:14 PM IST  |  Mumbai

ટેસ્ટ માટે સેન્ટર આપવાં સારી વાત છે, પરંતુ પાંચ ઓછાં છે : ઝહીર ખાન

ઝહીર ખાન

ઝહીર ખાનનું કહેવું છે કે ટેસ્ટ મૅચ માટે ચોક્કસ સેન્ટર આપવા એ સારી વાત છે, પરંતુ એની સંખ્યા વધુ રાખવી જોઈએ. ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ટેસ્ટ મૅચના જાદુને જીવંત રાખવા માટે ઇન્ડિયામાં પાંચ સ્પેશ્યલ સેન્ટર આપવા જરૂરી છે. આ મુદ્દે ઘણી ચર્ચા ચાલી છે. સૌરવ ગાંગુલીએ પણ કોહલીને સપોર્ટ કર્યો હતો. આ વિશે પૂછવામાં આવતાં ઝહીરે કહ્યું હતું કે ‘સ્ટ્રૉન્ગ ટેસ્ટ સેન્ટર બનાવવાથી ઘણી સરળતા રહેશે. થિયરીમાં વાત કરવામાં એ ખૂબ જ સારું લાગી રહ્યું છે, પરંતુ કેટલાં સેન્ટર આપવા એ ચર્ચાનો વિષય છે. ઇન્ડિયાની સાઇઝને જોઈને મને લાગે છે કે પાંચ સેન્ટર ખૂબ જ ઓછાં કહેવાય.’

zaheer khan cricket news