માહીએ રૈનાને ઘણો સપોર્ટ કર્યો છે : યુવરાજ

20 April, 2020 02:21 PM IST  |  New Delhi | Agencies

માહીએ રૈનાને ઘણો સપોર્ટ કર્યો છે : યુવરાજ

યુવરાજ, રૈના અને ધોની

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર યુવરાજ સિંહનું કહેવું છે કે દરેક કૅપ્ટનનો એક ફેવરિટ પ્લેયર હોય છે જેને તે સપોર્ટ કરતો હોય છે. મહેન્દ્ર સિંહ ધોનીનો ફેવરિટ પ્લેયર સુરેશ રૈના હતો જેને ધોનીએ ઘણો જ સપોર્ટ કર્યો છે.

શ્રીલંકા સામેની વર્લ્ડ કપ ફાઇનલ મૅચ માટે ટીમે સુરેશ રૈના અથવા યુસુફ પઠાણમાંથી કોઈ એકને પસંદ કરવાના હતા. પ્લેયરોના એ સિલેક્શન મુદ્દે વાત કરતાં યુવરાજે કહ્યું કે ‘સુરેશ રૈનાને એ વખતે ધોની પાસેથી ઘણો સપોર્ટ મળતો હતો. દરેક કૅપ્ટનનો ટીમમાં એક ફેવરિટ પ્લેયર હોય છે. ધોનીનો ફેવરિટ પ્લેયર રૈના હતો. એ વખતે યુસુફ પઠાણ ઘણું સારું પર્ફોર્મ કરી રહ્યો હતો અને હું પણ ઘણું સારું પર્ફોર્મ કરતો હતો અને સાથે-સાથે વિકેટ પણ લેતો હતો, પણ રૈના એ વખતે સારા ટચમાં નહોતો. ટીમ પાસે એ સમયે લેફ્ટ આર્મ સ્પિનર નહોતા અને હું વિકેટ લઈ શકતો હતો એટલે કોઈ વિકલ્પ ન હોવાથી તે લોકોએ મને ટીમમાં લેવો પડ્યો હતો.

ધોનીના નેતૃત્વમાં રૈનાએ સારું એવું પર્ફોર્મ કર્યું હતું, પણ વિરાટ કોહલીના કપ્તાનપદે આવ્યા બાદ રૈનાનું ટીમ ઇન્ડિયા માટે રમવાનું ઓછું થઈ ગયું હતું. ઇન્ડિયા માટે સુરેશ રૈના છેલ્લે જુલાઈ ૨૦૧૮માં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે મૅચ રમ્યો હતો.

ms dhoni suresh raina yuvraj singh cricket news sports news