સાચું બોલવાને કારણે મને પાગલ ગણવામાં આવ્યો હતો : યુનુસ ખાન

26 May, 2020 10:07 AM IST  |  Lahore | Agencies

સાચું બોલવાને કારણે મને પાગલ ગણવામાં આવ્યો હતો : યુનુસ ખાન

યુનુસ ખાન

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન યુનુસ ખાનનું કહેવું છે કે મારી કૅપ્ટન્સી દરમ્યાન હું સાચું બોલતો હોવાથી મને પાગલ તરીકે ગણવામાં આવતો હતો તેમ જ એ સમયે મારી ટીમના સભ્યો મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા. યુનુસ ખાનને પાકિસ્તાનના અદ્ભુત બૅટ્સમૅનમાંનો એક ગણવામાં આવે છે તેમ જ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી ટીમને સારી પોઝિશનમાં લાવવામાં તેની ભૂમિકા મહત્ત્વની રહેતી હતી. આ વિશે વાત કરતાં યુનુસ ખાને કહ્યું કે ‘જીવનમાં તમે જ્યારે સાચું બોલો છો ત્યારે તમારે ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમ જ તમને પાગલ તરીકે પણ ગણવામાં આવી શકે છે. મેં એક ભૂલ કરી હતી કે કેટલાક પ્લેયર્સને મેં કહ્યું હતું કે તમે દેશ માટે મેદાન પર તમારો બેસ્ટ પર્ફોર્મન્સ નથી આપી રહ્યા. જોકે એ સાથીઓને ત્યાર બાદ પસ્તાવો પણ થયો હતો. મને ખબર હતી કે હું કંઈ ખોટું નથી કરી રહ્યો અને હું ફક્ત સાચું જ બોલી રહ્યો છું. હું મારા પિતા પાસેથી એ શીખ્યો છું કે હંમેશાં વિનમ્ર રહેવું અને સાચું બોલવું.’

cricket news sports news pakistan