યાદ હૈ વો દિન

14 November, 2019 01:06 PM IST  |  Mumbai

યાદ હૈ વો દિન

રોહિત શર્મા

ક્રિકેટપ્રેમીઓ માટે ગઈ કાલનો દિવસ એક યાદગાર દિવસ રહ્યો હતો કેમ કે ૨૦૧૪માં એ દિવસે રોહિત શર્માએ ૨૬૪ રનનો વ્યક્તિગત સ્કોર બનાવી વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. શ્રીલંકા સાથે ૨૦૧૪માં રમાયેલી પાંચ વન-ડે મૅચની સિરીઝમાંની ચોથી મૅચ કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાઈ હતી જેમાં હિટમૅને ૩૩ બાઉન્ડ્રી અને ૯ છગ્ગાની મદદથી ૨૬૪ રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે કપરી વાત એ હતી કે જ્યારે રોહિત ચાર રને બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે થિસારા પરેરાએ તેનો કૅચ ડ્રોપ કર્યો હતો. ભારતે આ મૅચમાં પાંચ વિકેટે ૪૦૪ રન બનાવ્યા હતા જેની સામે શ્રીલંકન ટીમ ૨૫૧ રનમાં પૅવિલિયન ભેગી થઈ હતી. આ મૅચ ભારતે ૧૫૩ રનથી જીતી હતી. ભારતની ઇનિંગમાં છેલ્લા બૉલમાં રોહિત આઉટ થયો હતો. આઇસીસીએ પોતે ટ્વિટર પર રોહિતનો ફોટો શૅર કરીને આ દિવસની યાદ અપાવી હતી.

cricket news sports news