શું લક્ષ્મણની ભવિષ્યવાણી સાચી પડશે?

10 November, 2019 09:50 AM IST  |  Mumbai

શું લક્ષ્મણની ભવિષ્યવાણી સાચી પડશે?

તસવીર સૌજન્યઃ PTI

ભારત અને બંગલા દેશ વચ્ચે ચાલી રહેલી ત્રણ ટી૨૦ મૅચમાંની છેલ્લી મૅચ આજે નાગપુરમાં રમાશે. બન્ને ટીમ હાલમાં ૧-૧ની બરાબરી પર છે અને બન્ને ટીમ પોતપોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપીને સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે.
વિદર્ભ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં રમાનારી આ ત્રીજી અને અંતિમ ટી૨૦ મૅચમાં રોહિત શર્માની ટીમ રાજકોટની જેમ વિક્ટરી મેળવવા માગશે. હરીફ ટીમના કૅપ્ટન મહમ્મુદુલ્લાહને આશા છે કે તેની ટીમના આ બોલરો ખાસ કરીને સ્પિનરો સારો પર્ફોર્મન્સ કરશે. જોકે રોહિતની ઇચ્છા છે કે તેની ટીમના પેસરો આ મૅચમાં એ કામ કરી બતાવે જે અત્યાર સુધીની બે મૅચમાં નથી કરી શક્યા. આ મૅચમાં શાર્દુલ ઠાકુરને રમાડવામાં આવશે એવી પણ ચર્ચા છે. આ ઉપરાંત ફીલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પણ ટીમ ઇન્ડિયા કેટલાક સુધારા કરવા તરફ ધ્યાન આપશે. રિષભ પંત દ્વારા કોઈ ભૂલ ન થાય ‍એવી ચાહકો પણ આશા રાખી રહ્યા છે.
આ ટી૨૦ શરૂ થતાં પહેલાં વીવીએસ લક્ષ્મણે આ સિરીઝ ભારત ૨-૧થી જીતશે એવી ભવિષ્યવાણી કરી હતી. હવે એ આજે સાચી પડે છે કે નહીં એની તો મૅચ પૂરી થયા બાદ જ ખબર પડશે.

sports news cricket news