21 May, 2022 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોફ્રા આર્ચર
આઇપીએલના પ્લે-ઑફની રેસમાંથી બહુ જલદી આઉટ થઈ જનાર મુંબઈની ટીમના કોચ માહેલા જયવર્દનેએ કહ્યું કે રસાકસીભરી મૅચમાં મહત્ત્વની ક્ષણોમાં કરેલા ખરાબ પ્રદર્શનને કારણે અમે નિષ્ફળ રહ્યા છીએ. પૉઇન્ટ
ટેબલમાં સૌથી નીચેના ક્રમાંકે રહેલી મુંબઈની ટીમ આજે છેલ્લી મૅચ રમશે. જયવરર્દનેએ વધુમાં કહ્યું કે ‘ટુર્નામેન્ટની શરૂઆતના તબક્કામાં દબાણની સ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા. કોઈ પણ સીઝનની શરૂઆત ધીમી થાય છે તો એ ચિંતાની વાત છે.’
મુંબઈની ટીમે ઇંગ્લૅન્ડના જોફ્રા આર્ચરને મોટી રકમ આપીને ખરીદ્યો હતો અને ત્યારે તેમને ખબર હતી કે તે આ સીઝનમાં નહીં રમી શકે. તો કોચને આશા હતી કે તે આગામી સીઝનમાં રમશે. તેણે વધુમાં કહ્યું કે ‘સાચું કહું તો આ બહુ દૂરની વાત છે. નિષ્ણાતોની ટીમ એના પર નજર રાખી રહી છે. ભૂતકાળમાં તેને આવી ઈજા થઈ નથી. આ કંઈક નવું છે. આગામી આઇપીએલમાં હજી ૧૦ મહિનાની વાર છે.’