વિલિયમસને કોહલીના સંદર્ભે કહ્યું...

08 June, 2020 05:31 PM IST  |  Mumbai Desk | Agencies

વિલિયમસને કોહલીના સંદર્ભે કહ્યું...

કોહલી અને વિલિયમસન

ક્રિકેટજગતમાં વિરાટ કોહલી અને કેન વિલિયમસન વચ્ચેની મિત્રતા વિશે સૌકોઈને ખબર છે. આ બન્ને પ્લેયરોને એકબીજા પ્રત્યે ઘણું માન-સન્માન છે. વિલિયમસનના મતે એકબીજા સામે રમવાની તક તેમને મળી છે એ માટે તે પોતાને ભાગ્યશાળી ગણે છે.

આ વિષય પર વાત કરતાં કેન વિલિયમસને કહ્યું કે ‘અમે બન્ને ભાગ્યશાળી છીએ કે અમને એકબીજા સામે રમવાની તક મળી. નાની ઉંમરમાં મળ્યા અને ત્યાર બાદ જે પ્રગતિ કરી એમાં અમે એકબીજાના સાક્ષી રહ્યા છીએ એ વાતની પણ અમને ખુશી છે. લાંબા સમયથી એકબીજા સાથે રમવામાં અમને ઘણી મજા આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં અમે એકબીજા સાથે વિચારોની આપ-લે કરીએ છીએ, ગેમ પ્રત્યેના અમારા વિચારો શૅર કરીએ છીએ.’

cricket news sports news sports virat kohli kane williamson