06 March, 2020 03:46 PM IST | New Delhi
વીરેન્દર સેહવાગ
ન્યુ ઝીલૅન્ડ સામેની ટૂરમાં ખાસ પ્રદર્શન ન કરી શકનાર વિરાટ કોહલીના ફૉર્મને લઈને અનેક પ્રશ્નો ઊઠી રહ્યા હતા. કપિલ દેવે તો એમ કહ્યું હતું કે વિરાટની વધતીજતી ઉંમરને લીધે તેને જોવામાં તકલીફ થઈ રહી હશે, પણ વીરેન્દર સેહવાગ આ વાતથી સહમત નથી. વીરુનું કહેવું છે કે કોહલી આઉટ ઑફ ફૉર્મ છે. કોહલી વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘જ્યારે તમે આઉટ ઑફ ફૉર્મ હો ત્યારે તમારી મદદે કોઈ આવતું નથી. એવું નથી કે વિરાટ મહેનત નથી કરતો, પણ નસીબ તેની સાથે નથી. વિરાટને
હાથ-આંખના કો-ઑર્ડિનેશનમાં કોઈ તકલીફ નથી. હા, આ કો-ઑર્ડિનેશનમાં ધીમે -ધીમે ઘટાડો થાય છે, પણ રાતોરાત નથી થતો. મારું ચોક્કસપણે માનવું છે કે આ આઉટ ઑફ ફૉર્મની વાત છે, કેમ કે કોહલી ઘણા સારા બૉલ પર આઉટ થયો હતો. ન્યુ ઝીલૅન્ડમાં બૉલ ઘણા સીમ થાય છે અને જો એવામાં રન ન બનાવીએ તો મુસીબતમાં વધારો થાય છે. સીધી વાત છે કે તમે ફ્રન્ટફુટ પર વધુ રમી શકો છો. જોકે મારા માટે એ મહત્ત્વનું છે કે તમે કયો બૉલ છોડો છો. તમે જ્યારે કૉન્ફિડન્સ હો ત્યારે જ એ પ્રમાણે રમી શકો છો. વિરાટ પ્રેશરને કારણે આઉટ થતો રહ્યો છે.’