સૂર્યાએ જે પાક. સાથે કર્યું તે હવે ભારતના અંડર-19 કૅપ્ટને બાંગ્લાદેશ સાથે કર્યું

17 January, 2026 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અલી રઝાએ એક નોંધપાત્ર ભૂલ કરી. એક બૉલ છોડ્યા પછી, તે ક્રીઝની બહાર નીકળી ગયો, કદાચ વિચારીને કે બોલ રદ થયો છે અથવા તેની સ્થિતિનો ખોટો અંદાજ લગાવી રહ્યો હતો. દરમિયાન ઇંગ્લૅન્ડના વિકેટકીપર થોમસ રીયુએ તરત જ બૉલ પકડ્યો અને બેલ્સ પાડી.

ભારત અંડર-19 કૅપ્ટન આયુષ મ્હાત્રે અને બાંગ્લાદેશ અંડર-19 વાઇસ કૅપ્ટન જવાદ અબરાર

ભારત અંડર-19 અને બાંગ્લાદેશ અંડર-19 ટીમો ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાયેલી ટુર્નામેન્ટની ગ્રુપ B મૅચમાં આમને-સામને આવી હતી. જોકે મૅચ શરૂ થતાં પહેલાં સામાન્ય રીતે હાથ મિલાવવાની પરંપરા હોય છે તે બન્ને દેશોના ખેલાડીઓએ ટાળી હતી. ભારત અંડર-19 કૅપ્ટન આયુષ મ્હાત્રે અને બાંગ્લાદેશ અંડર-19 વાઇસ કૅપ્ટન જવાદ અબરારે હાથ મિલાવ્યો નહોતો. રમતગમત અને આદરનું પ્રતીક ગણાતી આ વાત ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને લોકોનું ધ્યાન ખેંચ્યું. લોકો આ બાબતનેની પાકિસ્તાન સાથે જે વલણ છે તે હવે બાંગ્લાદેશ સામે પણ અપનાવવા માટે પ્રશંસા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકોએ એશિયા અને મહિલા વર્લ્ડ કપની ઘટના યાદ કરી

ઘણા ચાહકો અને નિષ્ણાતોએ આ ઘટનાને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વર્તમાન રાજદ્વારી અને રમતગમત સંબંધો સાથે જોડી રહ્યા છે. લોકોએ તેની સરખામણી અગાઉની ઘટનાઓ સાથે પણ કરી, જેમાં ૨૦૨૫ એશિયા કપમાં ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટૉસ સમયે પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન સાથે હાથ મલીવવાનો ઇનકાર કર્યો હતો. મહિલા વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન સામેની મૅચ દરમિયાન ભારતીય ટીમ દ્વારા હાથ મિલાવવાનો ઇનકાર, જેની રાજકીય કારણોસર પણ ચર્ચા થઈ હતી. દરમિયાન, તે જ અંડર-19 વર્લ્ડ કપમાં બીજી એક મૅચે મેદાન પર એક જુદા કારણોસર વિવાદ ઉભો કર્યો.

પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેનો વિવાદ

હરારેમાં પાકિસ્તાન અંડર-19 અને ઇંગ્લૅન્ડ અંડર-19 વચ્ચેની ગ્રુપ મૅચમાં, પાકિસ્તાની ખેલાડી અલી રઝા અસામાન્ય રન-આઉટનો ભોગ બન્યો હતો. ઇંગ્લૅન્ડે પહેલા બૅટિંગ કરી અને 211 રન બનાવ્યા. જવાબમાં, પાકિસ્તાને શરૂઆતમાં પીછો કરવામાં મુશ્કેલી અનુભવી, પરંતુ કૅપ્ટન ફરહાન યુસુફે 65 રનની જવાબદાર ઇનિંગ રમીને ટીમને સ્થિર કરી. જોકે, મધ્યમ અને નીચલા ક્રમના બૅટ્સમૅન આ રન્સની ગતિને આગળ વધારવામાં નિષ્ફળ ગયા. 46મી ઓવરમાં, પાકિસ્તાનનો સ્કોર 9 વિકેટે 173 રન હતો. તે સમયે, મોમિન કમર અને અલી રઝાની જોડી ક્રીઝ પર હતી, અને તેમણે હારના માર્જિનને ઘટાડવાની આશા રાખી રહી હતી.

અલી રઝાએ એક નોંધપાત્ર ભૂલ કરી. એક બૉલ છોડ્યા પછી, તે ક્રીઝની બહાર નીકળી ગયો, કદાચ વિચારીને કે બોલ રદ થયો છે અથવા તેની સ્થિતિનો ખોટો અંદાજ લગાવી રહ્યો હતો. દરમિયાન ઇંગ્લૅન્ડના વિકેટકીપર થોમસ રીયુએ તરત જ બૉલ પકડ્યો અને બેલ્સ પાડી. અલી રઝા તેની ક્રીઝની બહાર હતો અને સમયસર પાછો ફરી શક્યો નહીં, જેના કારણે રન-આઉટ થયો. આનાથી પાકિસ્તાનનો દાવ ખતમ થઈ ગયો અને ઇંગ્લૅન્ડ 37 રનથી મૅચ જીતી ગયું. આ રન આઉટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. ઘણા લોકોએ તેને મોટી ભૂલ ગણાવી, નોંધ્યું કે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં આવી ભૂલ ભાગ્યે જ જોવા મળે છે. આ જીતથી ઇંગ્લૅન્ડને ટુર્નામેન્ટ માટે આત્મવિશ્વાસ મળ્યો છે, જ્યારે પાકિસ્તાને ભવિષ્યની મૅચોમાં આવી ભૂલો ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે.

t20 asia cup 2025 suryakumar yadav pakistan u19 world cup cricket news bangladesh viral videos sports news sports