19 March, 2020 04:41 PM IST | New Delhi | IANS
સચિન તેન્ડુલકર
સચિન તેન્ડુલકરે કોરોના વાઇરસ સામે પોતાની જવાબદારી વ્યવસ્થિતપણે નિભાવવા દેશવાસીઓને અપીલ કરી છે. કોરોના વાઇરસને કારણે વિશ્વ આખું હેરાન-પરેશાન છે. ડૉક્ટરોની ટીમ વારંવાર લોકોને સુરક્ષાનાં પગલાં લેવા અપીલ કરી રહી છે. આ વિશે તેન્ડુલકરે ટ્વીટ કર્યું હતું કે ‘દેશના નાગરિક હોવાને લીધે આપણે આપણી જવાબદારી નિભાવવી જોઈએ. કોરોના વાઇરસથી દૂર રહેવા માટે બતાવવામાં આવેલાં સરળ સ્ટેપ્સ આપણે અપનાવવા જોઈએ. મારી દરેકને વિનંતી છે કે સુરક્ષિત રહેવા માટે જે બેઝિક ગાઇડલાઇન્સ આપવામાં આવી છે એનું પાલન જરૂરથી કરે.’
તેન્ડુલકર પહેલાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ કોરોના વાઇરસથી બચવા માટે સુરક્ષિત પગલાં લેવાની લોકોને વિનંતી કરી હતી.