ટી૨૦ સિરીઝ ગુમાવશે ઈજાગ્રસ્ત બાબર આઝમ

14 December, 2020 08:06 PM IST  |  Queensland | IANS

ટી૨૦ સિરીઝ ગુમાવશે ઈજાગ્રસ્ત બાબર આઝમ

બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કૅપ્ટન બાબર આઝમ અંગૂઠામાં ફ્રૅક્ચર થવાને લીધે ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝમાંથી આઉટ થયો છે. રવિવારે સવારે પ્રૅક્ટિસ-સેશન વખતે તેના જમણા અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને ફ્રૅક્ચર થયું હોવાની જાણકારી મળી હતી. ઈજા થતાં બાબર આઝમ ૧૨ દિવસ સુધી નેટ-પ્રૅક્ટિસ નહીં કરી શકે, જેને લીધે તે ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝ ગુમાવશે. જોકે આ સમયગાળા દરમ્યાન ડૉક્ટર તેની તપાસ કરતા રહેશે જેથી પહેલી ટેસ્ટ મૅચ પહેલાં તે ઈજામુક્ત થઈ જાય. 

pakistan cricket news t20