24 August, 2020 12:14 PM IST | New Delhi | IANS
સુનીલ ગાવસકર
ઇન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકરનું કહેવું છે કે તેમને ઇન્ડિયન ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન રોહિત શર્માની જેમ ટેસ્ટ ક્રિકેટ અને લિમિટેડ ઓવરની ક્રિકેટમાં રમવું છે. ટેસ્ટ ક્રિકેટ કરીઅરમાં ૧૦,૦૦૦ રન કરનાર પ્રથમ બૅટ્સમૅન તરીકે નામના મેળવનાર સુનીલ ગાવસકર પોતાના સમયમાં આત્મવિશ્વાસની કમીને લીધે જોઈએ એવું નહોતા રમી શક્યા. સુનીલ ગાવસકરનું કહેવું છે કે ‘જે પ્રમાણે વન-ડે ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા ઓપનિંગ કરે છે એ જોવું મને ઘણું ગમે છે. ખરું કહું તો મને પોતે એ પ્રમાણે રમવું હતું, પણ એ વગરની પરિસ્થિતિઓ અને પોતાની ક્ષમતા પર રહેલા આત્મવિશ્વાસની કમીને લીધે હું એ પ્રમાણે રમી ન શક્યો, પણ જ્યારે નવી જનરેશનને હું એ પ્રમાણે રમતી જોઉં છું ત્યારે ખરેખર મને ઘણો આનંદ થાય છે, કારણ કે એ સાચેસાચી પ્રોગ્રેસ છે. તમે જોઈ શકો છો કે આવનારી પેઢી માટે તેઓ એક નવો મુકામ તૈયાર કરે છે.’