17 March, 2019 11:37 AM IST |
પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર
સુનીલ ગાવસકરનું કહેવું છે કે બાયોપિક બનાવવા માટે તેમની લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી. બૉલીવુડમાં બાયોપિક ખૂબ જ સફળ રહી છે અને એથી જ નવી-નવી બાયોપિક બનાવવામાં આવી રહી છે. હાલમાં ૧૯૮૩ના વર્લ્ડ કપ પરથી બનતી રણવીર સિંહની ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. બાયોપિક વિશે પૂછતાં ભૂતપૂવ ઇન્ડિયન ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું હતું કે શ્નમારી બાયોપિકમાં મને કોઈ રસ નથી. મારી એકદમ રેગ્યુલર અને નૉર્મલ રૂટીન લાઇફ છે. એક દર્શક તરીકે પણ મારે મારી લાઇફને સ્ક્રીન પર નથી જોવી તો પછી દર્શકો શું કામ એ જોવા માગે? આ માટે મને ઘણી વાર ઑફર કરવામાં આવી છે, પરંતુ મને લાગે છે કે બાયોપિક માટે મારી લાઇફ એટલી ઇન્ટરેસ્ટિંગ નથી.’