ભારતીય ટીમમાં વાપસીની પાર્થિવ પટેલને આશા

15 January, 2016 05:40 AM IST  | 

ભારતીય ટીમમાં વાપસીની પાર્થિવ પટેલને આશા


ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટમાં સતત બીજી વખત ગુજરાતની ટીમની સફળતાપૂર્વક કૅપ્ટન્સી સંભાળનાર વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલે હજી પણ ભારતીય ટીમમાં વાપસીની આશાને સાવ છોડી નથી દીધી. જોકે તે એને માટે જાત પર બહુ દબાણ પણ નથી કરતો. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટની નૉકઆઉટ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ રહી છે. આજે મુંબઈમાં રમાનારી દિલ્હી અને ગુજરાત વચ્ચેની મૅચ પહેલાં ૩૦ વર્ષના આ કૅપ્ટને કહ્યું હતું કે ‘ભારત માટે રમવાનું સપનું હજી પણ જીવંત છે. જોકે એ માટે હું વધુ વિચારતો નથી. આ ટુર્નામેન્ટમાં મેં સૌથી વધુ રન કર્યા છે એટલે સારું લાગે છે. રાજ્ય માટે આ ટુર્નામેન્ટ જીતી શકું એથી સારું બીજું કાંઈ નથી.’ આજે મુંબઈમાં જ બરોડા અને વિદર્ભ વચ્ચે નૉકઆઉટ મૅચ રમાવાની છે.