રોહિતની સારી ક્વૉલિટી એ છે કે તે મોટી સેન્ચુરી માટે રમે છે : શ્રીકાન્ત

01 July, 2020 02:41 PM IST  |  Mumbai | Agencies

રોહિતની સારી ક્વૉલિટી એ છે કે તે મોટી સેન્ચુરી માટે રમે છે : શ્રીકાન્ત

રોહિત શર્મા

૨૦૧૩માં મહેન્દ્ર સિંહ ધોનીના કહેવા પર રોહિત શર્માએ જ્યારે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમ વતી ઓપનિંગ કરી હતી ત્યારથી તેની ક્રિકેટ-કરીઅરમાં એક જબરદસ્ત વળાંક આવ્યો હતો. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર કૃષ્ણમાચારી શ્રીકાન્ત રોહિતના પર્ફોર્મન્સ પર ફિદા છે. રોહિતના પર્ફોર્મન્સની વાત કરતાં શ્રીકાન્તે કહ્યું કે ‘વિશ્વ ક્રિકેટમાં રોહિત શર્માને હું ગ્રેટેસ્ટ ઑલટાઇમ વનડે ઓપનર તરીકે જોઉં છું. રોહિત શર્મા સારી ક્વૉલિટી એ છે કે તે મોટી સેન્ચુરી અને ડબલ હન્ડ્રેડ સુધી રહેવાનો પ્રયાસ કરે છે. તેની આ વાત સૌથી સારી છે. તમે વિચારી શકો છો કે વન-ડે ક્રિકેટમાં તમે ૧૫૦, ૧૮૦, ૨૦૦ રન કરીને તેમને ક્યાં પહોંચાડી શકો છો. રોહિતમાં એ ક્ષમતા છે. જ્યાં સુધી વિશ્વના ક્રિકેટ ઇતિહાસમાં ગ્રેટેસ્ટ ઑલટાઇમ વન-ડે ઓપનરની વાત આવે તો રોહિતનું સ્થાન ટૉપ-3થી 5માં ચોક્કસ આવે.’

rohit sharma cricket news sports news