ભારત સામે શ્રેણી પહેલા જ શ્રીલંકા ઘુંટણીયે!!!

27 October, 2014 06:03 AM IST  | 

ભારત સામે શ્રેણી પહેલા જ શ્રીલંકા ઘુંટણીયે!!!


આવતી કાલે ભારતના પ્રવાસે આવી રહેલી શ્રીલંકાની ટીમના કૅપ્ટન ઍન્જેલો મૅથ્યુઝે કહ્યું હતું કે અમારી ટીમને બીજી નવેમ્બરથી શરૂ થતી ભારત સામેની વન-ડે સિરીઝ માટે તૈયારી કરવાનો પૂરતો સમય નથી મળ્યો. વેસ્ટ ઇન્ડીઝે ભારતનો પ્રવાસ અધવચ્ચે રદ કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડે વચગાળાના સમય માટે શ્રીલંકા સાથે પાંચ વન-ડે સિરીઝનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. ઍન્જેલો મૅથ્યુઝે કહ્યું હતું કે ‘અમે માત્ર થોડી પ્રૅક્ટિસ કરી શક્યા છીએ, કારણ કે હવામાન સારું નહોતું. વળી અમારા ખેલાડીઓ રજા પર હતા. દરમ્યાન અચાનક આ પ્રવાસનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો.’