ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે સિરીઝ બીજી નવેમ્બરથી

21 October, 2014 05:27 AM IST  | 

ભારત-શ્રીલંકા વચ્ચેની વન-ડે સિરીઝ બીજી નવેમ્બરથી

પહેલાં આ મૅચ કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં થવાની હતી, પરંતુ તહેવારોને કારણે કલકત્તા પોલીસ ચોથી નવેમ્બર પહેલાં સિક્યૉરિટી આપવા માટે અસમર્થ હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આના કારણે હવે કલકત્તામાં સિરીઝની બીજી વન-ડે પાંચમી નવેમ્બરે થશે. આ સિરીઝની બાકીની ત્રણ મૅચ ૮, ૧૧ અને ૧૪ નવેમ્બરે એના શેડ્યુલ પ્રમાણે થશે.