જીવલેણ ઇન્જરીમાંથી બચેલો શ્રેયસ ઐયર સિડનીમાં પહેલી વખત જાહેરમાં જોવા મળ્યો

08 November, 2025 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરનો ઇન્જરી બાદનો પહેલો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. બરોળની ઇન્જરીને કારણે ત્રીજી વન-ડે બાદ તેને સિડનીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જીવલેણ ઇન્જરીમાંથી બચેલો શ્રેયસ ઐયર સિડનીમાં પહેલી વખત જાહેરમાં જોવા મળ્યો

ભારતનો વન-ડે વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરનો ઇન્જરી બાદનો પહેલો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. બરોળની ઇન્જરીને કારણે ત્રીજી વન-ડે બાદ તેને સિડનીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં જ ડિસ્ચાર્જ મળ્યા બાદ તે હાલમાં સિડનીમાં રિકવરી પર ધ્યાન આપી રહ્યો છે. આ દરમ્યાન તેણે પહેલી વખત જાહેરમાં એક રેસ્ટોરાંમાં વિઝિટ કરી હતી. ત્યાંના શેફ સાથે પડાવેલો એક ફોટો વાઇરલ થતાં તેનો ઇન્જરી બાદનો પહેલો લુક જોવા મળ્યો હતો.

shreyas iyer cricket news sydney team india sports news sports social media