હિન્દુ-મુસ્લિમ બનવા કરતાં માનવતા દેખાડવાનો આ સમય છે : અખ્તર

24 March, 2020 12:19 PM IST  |  Lahore | Agencies

હિન્દુ-મુસ્લિમ બનવા કરતાં માનવતા દેખાડવાનો આ સમય છે : અખ્તર

શોએબ અખ્તર

શોએબ અખ્તરનું કહેવું છે કે હમણાં હિન્દુ-મુસ્લિમ કરવાનો નહીં, પરંતુ માનવતા દેખાડવાનો સમય છે. કોરોના વાઇરસને કારણે દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાઇરસ અત્યાર સુધીમાં ૧૦૦ દેશોમાં પ્રસરી ચૂક્યો છે. પાકિસ્તાનમાં પણ અત્યાર સુધીમાં ૮૦૦ કેસ પૉઝિટિવ આવી ગયા છે. આ વિશે શોએબે એક વિડિયો પોસ્ટ કર્યો છે અને એમાં ચાહકોને ગ્લોબલ ક્રાઇસિસ માટે આપવામાં આવેલી ગાઇડલાઇનને ફૉલો કરવાનું કહેવામાં આવ્યું છે. આ વિશે શોએબ અખ્તરે કહ્યું કે ‘દુનિયાભરના મારા ચાહકોને વિનંતી કરું છું કે કોરોના વાઇરસ એક ગ્લોબલ ક્રાઇસિસ છે. આ વિશ આપણે ધર્મથી પર થઈ દુનિયા વિશે વિચારવું જોઈએ. 

coronavirus covid19 pakistan cricket news sports news