29 November, 2019 02:35 PM IST | Mumbai
સંજય બાંગર
(આઇ.એ.એન.એસ.) ભારતના ભૂતપૂર્વ બૅટિંગ-કોચ સંજય બાંગર ઇચ્છે છે કે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવ પર ધ્યાન આપવું જોઈએ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) બાદ પર્ફોર્મન્સને લઈને કુલદીપને ટીમમાં જગ્યા નથી મળી રહી. આ વિશે સંજય બાંગરે કહ્યું હતું કે ‘હું કુલદીપ યાદવનો ખૂબ જ મોટો ફૅન છું. સ્ટ્રાઇક રેટ્સની વાત કરીએ તો વન-ડેમાં તેણે ખૂબ જલદી ૧૦૦ વિકેટ લીધી છે.
તે શૉર્ટ ફૉર્મેટમાં પણ ખૂબ જલદી વિકેટ લે છે. ઇંગ્લૅન્ડમાં આપણે જે મૅચ જીત્યા હતા એના પર ધ્યાન આપશો તો ખબર પડશે કે તેણે ખરા સમયે પાંચ વિકેટ લીધી હતી. આઇપીએલમાં તેના ખરાબ પર્ફોર્મન્સને કારણે તેને ટીમમાંથી બહાર ન રાખવો જોઈએ.’