અર્જુન તેન્ડુલકરનું ‘બૉમ્બે ટુ ગોવા’

12 August, 2022 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પાસે એનઓસી માગ્યું, કદાચ ગોવા વતી રમશે

અર્જુન તેન્ડુલકર

સચિન તેન્ડુલકરનો બાવીસ વર્ષનો પુત્ર અને લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન તેન્ડુલકર મુંબઈ ક્રિકેટ છોડીને આવતી સીઝનમાં કદાચ ગોવા વતી રમશે. તેણે મુંબઈ ક્રિકેટના સત્તાધીશો (એમસીએ) પાસે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માગ્યું હોવાનું ગઈ કાલે પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.

મુંબઈ ઇન્ડિયન્સની સ્ક્વૉડમાં સિલેક્ટ થઈ ચૂકેલો અર્જુન ર્ફ્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મુંબઈ વતી બે મૅચ રમ્યો છે. તે ઇન્ડિયા અન્ડર-19 વતી બે ‘ટેસ્ટ’ પણ રમ્યો છે. જોકે તેને ગઈ સીઝનમાં પોતાની કાબેલિયત પુરવાર કરવાની તક મળી એ પહેલાં જ તેને ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો એ તેને માટે મોટી નિરાશા હતી.

sports sports news cricket news arjun tendulkar sachin tendulkar mumbai cricket association