29 April, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ સ્વીકારતાં પહેલાં સચિને પોતાનાં જૂતાં ઉતાર્યાં
આંધ્ર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાલમાં સચિન તેન્ડુલકર, વાઇસ-પ્રેસિડેન્ટ સી.પી. રાધાક્રિષ્નન સહિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓએ હાજરી આપી હતી. વિશાખાપટનમના આ કાર્યક્રમમાંથી સચિનનો એક દિલ જીતનારો વિડિયો વાઇરલ થયો હતો.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પાસેથી ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ સ્વીકારતાં પહેલાં માસ્ટર બ્લાસ્ટર સચિને સ્ટેજ પર પોતાનાં જૂતાં ઉતારી દીધાં હતાં.