ઑસ્ટ્રેલિયા ટૂર માટે સિલેક્ટ ન થયેલા સૂર્યકુમારનો રોહિતે ઉત્સાહ વધાર્યો

23 November, 2020 01:19 PM IST  |  Mumbai | PTI

ઑસ્ટ્રેલિયા ટૂર માટે સિલેક્ટ ન થયેલા સૂર્યકુમારનો રોહિતે ઉત્સાહ વધાર્યો

સૂર્યકુમાર યાદવ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે શાનદાર પ્રદર્શન કર્યા છતાં સૂર્યકુમાર યાદવને ઑસ્ટ્રેલિયા સામેની ટૂર માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. પોતાની પસંદગી ન થતાં તે નારાજ થયો હતો, પણ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના ધાકડ પ્લેયર રોહિત શર્મા સાથે વાતચીત કર્યા બાદ તેને સારું લાગ્યું હોવાનું તેણે કબૂલ્યું છે.
સૂર્યકુમાર યાદવે કહ્યું કે ‘એ વખતે હું જિમમાં હતો અને મારી બાજુમાં જ રોહિત બેઠો હતો અને મને જોયા કરતો હતો. મેં તેને કહ્યું હા સ્વાભાવિક છે કે હું માયૂસ થઈ ગયો છું. કારણ કે મને સારા સમાચારની આશા હતી. થોડા સમય પછી તેણે મને કહ્યું કે મને તારામાં વિશ્વાસ છે અને હાલના સમયમાં તું ઘણું સારું રમી રહ્યો છે. ટીમમાં સિલેક્શન ન થવાથી વધારે વિચાર ન કર અને આઇપીએલમાં જે પ્રમાણે તું પ્રદર્શન કરતો હતો એ પ્રમાણે જ પોતાના પ્રદર્શન પર ધ્યાન આપ. આજે નહીં તો કાલે તને યોગ્ય સમયે, યોગ્ય તક મળશે, બસ પોતાના પર વિશ્વાસ રાખ. રોહિત પાસેથી એ શબ્દો સાંભળીને મને સારું લાગ્યું. હું એ સમયે જે અનુભવી શકતો હતો એ મારી આંખોમાં જોઈ શકાતું હતું. આ પરિસ્થિતિમાંથી બહાર આવવું મારા માટે પ્રેરણાદાયક હતું.’

cricket news sports news rohit sharma