રણજી જીતનાર ટીમને પાંચ કરોડ રૂપિયા મળશે

17 April, 2023 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈરાની કપ વિજેતા ટીમનું ઇનામ પચીસ લાખ રૂપિયાથી બમણું કરીને ૫૦ લાખ રૂપિયા કરાયું છે,

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બીસીસીઆઇએ કરેલી જાહેરાત મુજબ હવેથી રણજી ટ્રોફી વિજેતા ટીમને કુલ પાંચ કરોડ રૂપિયાનું ઇનામ મળશે. હાલ સુધી બે કરોડ રૂપિયાનું ઇનામ અપાતું હતું. રનર-અપ ટીમને ત્રણ કરોડ રૂપિયા અને સેમી ફાઇનલ હારી જનારી ટીમને એક કરોડ રૂપિયા મળશે. સિનિયર વિમેન વિનર્સ ટીમને કુલ ૬ લાખને બદલે હવેથી ૫૦ લાખ રૂપિયા મળશે અને રનર-અપ ટીમને પચીસ લાખ રૂપિયા મળશે. ઈરાની કપ વિજેતા ટીમનું ઇનામ પચીસ લાખ રૂપિયાથી બમણું કરીને ૫૦ લાખ રૂપિયા કરાયું છે, જ્યારે રનર-અપ ટીમને અત્યારે કંઈ નથી મળતું, પરંતુ હવેથી પચીસ લાખ રૂપિયા મળશે. દુલીપ ટ્રોફીની વિજેતા ટીમને એક કરોડ મળશે. દેવધર ટ્રોફીની વિજેતા ટીમને ૪૦ લાખ રૂપિયા મળશે.

sports news sports cricket news ranji trophy ranji trophy champions board of control for cricket in india