પુલવામા આતંકી હુમલા મામલે ક્રિકેટ જગત ગુસ્સામાં

15 February, 2019 09:17 PM IST  | 

પુલવામા આતંકી હુમલા મામલે ક્રિકેટ જગત ગુસ્સામાં

ક્રિકેટ જગત ગુસ્સામાં

જમ્મૂ કશ્મીરના પુલવામામાં ગુરુવારે મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 40 જેટલા જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ રાજનૈતિક સાથે બોલીવૂડ સાથે ક્રિકેટ જગતમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી હતી.આ હુમલાની વિરાટ કોહલી, સહેવાહ સહિત ક્રિકેટજગતના પ્લેયર્સે આ હુમલાની નિંદા કરી હતી. તેમણે આતંકીઓની આ કરતૂતને કાયરતા ગણાવી હતી. ક્રિકેટજગત આ હુમલાનો બદલો લેવાનું કહી રહ્યું છે.

વિરાટ કોહલી ટ્વિટ કરતા કહ્યું હતું કે, 'તે આ ઘટનાથી સદમામાં છે. શહિદોને શ્રદ્ધાજંલી અને તેમના પરિવારજનોને સાંત્વના. ઈજાગ્રસ્ત જવાનોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરુ છું.

ગૌતમ ગંભીરે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. ગંભીરે ટ્વિટમાં લખ્યું હતું કે,હવે વાત ટેબલ પર નહી મેદાન-એ-જંગ પર થવી જોઈએ.

વિરેન્દ્ર સહેવાગે પણ સોશિયલ મિડીયા પર 'સુધરજાઓ વર્ના સુધાર દેગે'ના હેશટેગ સાથે લખ્યું હતું કે, વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી દ્વારા કરાયેલો હુમલો કાયરતાપૂર્ણ છે. આ દુ:ખને વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી. ઈજાગ્રસ્ત જવાનો જલદીથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના

રોહિત શર્માએ પણ ટ્વિટ કરતા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. રોહિતે લખ્યું હતું કે જે દિવસે આપણે પ્રેમને ઉજવીએ છીએ તે દિવસે કેટલાક લોકો નફરત ફેલાવવાનું દુષ્કૃત્ય કર્યું છે.

cricket news