ફટાકડા ફોડતાં છંછેડાયા ગંભીર અને હરભજન

07 April, 2020 02:28 PM IST  |  New Delhi | Agencies

ફટાકડા ફોડતાં છંછેડાયા ગંભીર અને હરભજન

ગૌતમ ગંભીર

નરેન્દ્ર મોદીએ રવિવારે રાતે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરમાં રહી દીવો, મિણબત્તી અથવા તો મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ રાખવા લોકોને વિનંતી કરી હતી. જોકે લોકોએ રસ્તા પર આવી ફટાકડા ફોડતાં હરભજન સિંહ અને ગૌતમ ગંભીરનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ વિશે ગંભીરે ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ડિયા ઘરમાં રહો. આપણી ફાઇટ હજી પણ ચાલી રહી છે. આ કંઈ ફટાકડા ફોડવાનો તહેવાર નથી.’

આ વિશે હરભજન સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘આપણે કોરોના માટેનો ઇલાજ તો શોધી કાઢીશું, પરંતુ લોકોની સ્ટુપિડ વસ્તુઓને અટકાવવા માટેનો ઇલાજ આપણને કોઈ દિવસ નહીં મળે.’

gautam gambhir harbhajan singh cricket news sports news