બૉલ પર થૂંકના પ્રતિબંધ પર બોલ્યો કુંબલે: આ માત્ર વચગાળાનાં પગલાં છે

25 May, 2020 11:47 AM IST  |  New Delhi | Agencies

બૉલ પર થૂંકના પ્રતિબંધ પર બોલ્યો કુંબલે: આ માત્ર વચગાળાનાં પગલાં છે

અનિલ કુંબલે

અનિલ કુંબલેના નેતૃત્વવાળી આઇસીસીની ક્રિકેટ કમિટીએ તાજેતરમાં બૉલ પર થૂંક લગાડવાના મુદ્દા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે જેથી કરીને કોરોનાના પ્રસારને અટકાવી શકાય. અનિલ કુંબલેએ હાલમાં આ પગલાને વચગાળાનું પગલું ગણાવ્યું હતું.

કુંબલેએ કહ્યું કે ‘અમે આ વિશે ઘણી ચર્ચા કરી હતી. અમે ઘણા ક્રિટિકલ રહીને દરેક પાસાને ધ્યાનમાં લીધા હતા. ગેમમાં આવતા કોઈ પણ બાહ્ય પદાર્થને દૂર કરવા પર અમે ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની સિરીઝમાં જે ઘટના બની હતી એના પર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આઇસીસીના નિર્ણયથી વધારે કડક પગલાં લીધાં હતાં. એ વાતને અમે અહીં ધ્યાનમાં લીધી છે અને આ માત્ર વચગાળાનાં પગલાં છે. આવતા કેટલાક સમયમાં જેમ-જેમ કોવિડ-19 પર કાબૂ મેળવાશે એમ-એમ આપણે આપણા જૂના નિયમો પર ફરી આવી જશું.’

anil kumble cricket news sports news