25 March, 2020 03:53 PM IST | Kolkata | Agencies
સૌરવ ગાંગુલી
કોરોના વાઇરસને લીધે કલકત્તાને ખાલીખમ જોતાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને ખૂબ આશ્ચર્ય થયું છે. દેશભરમાં વાઇરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે. લૉકડાઉન થયેલા કલકત્તાને જોતાં ગાંગુલીએ ટ્વીટ કર્યું, ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારું શહેર આવું જોવા મળશે. કલકત્તા નજીકના દિવસોમાં આનાથી વધુ સારું જોવા મળશે એની ખાતરી છે. બધાને પ્રેમ...’
અન્ય એક ટ્વીટમાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘જ્યાં બધા કોરોના વાઇરસથી ગભરાયેલા છે ત્યાં હું મારી લૉનમાં સાંજે પાંચ વાગ્યે નવરો બેઠો છું. મને યાદ નથી આવતું કે આ રીતે છેલ્લે હું ક્યારે બેઠો હતો.’