સચિને રિટાયરમેન્ટનું સેટિંગ કરી લીધું?

28 November, 2012 03:33 AM IST  | 

સચિને રિટાયરમેન્ટનું સેટિંગ કરી લીધું?



છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં માત્ર ૧૫.૩૦ની બૅટિંગઍવરેજ ધરાવતા અને ૨૮ ઇનિંગ્સથી સદી ન બનાવી શકેલો સચિન તેન્ડુલકર પોતાના અત્યારના ખરાબ ફૉર્મથી ખૂબ નિરાશ છે અને એટલે જ તેણે પોતાની કરીઅર પર ક્યારે પૂર્ણવિરામ મૂકી દેવા માગે છે એ વિશે સિલેક્ટરો સાથે ચર્ચા કરી હોવાનો ગઈ કાલે એક અહેવાલ મળ્યો હતો.

એબીપી ન્યુઝ ચૅનલના રિપોર્ટ મુજબ સચિને કરીઅરના ભાવિનો નિર્ણય પસંદગીકારો પર છોડ્યો છે, જ્યારે તેમણે માસ્ટર બ્લાસ્ટરને હજી થોડો વખત રમતા રહેવાની સલાહ આપી છે.