19 August, 2020 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એમ એસ ધોની
એમ એસ ધોની (MS Dhoni)એ 15મી ઑગસ્ટે અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી. ફેન્સ અને ઘણા અગ્રણી લોકોનું માનવું હતું કે ધોની જેવા મહાન ખેલાડીની ફેરવેલ મેચ થવી જોઈએ. ઝારખંડના CM હેમંત સોરેનએ પણ ઈચ્છા વ્યક્ત કરી કે રાંચીમાં ધોનીની ફેરવેલ મેચ થવી જોઈએ. બીજી બાજુ વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)એ કહ્યું કે, ધોનીની ફેરવેલ મેચ ચેપક થશે.
MS Dhoniનો જન્મ રાંચીમાં થયો પરંતુ ઘણા વર્ષોથી ચેન્નઈ તેનું હોમ ગ્રાઉન્ડ છે. આઈપીએલની શરૂઆતથી જ તે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન છે. ચેન્નઈમાં ધોનીના ફેન્સ તેને થાલા કે થલાઈવા કહે છે.
લક્ષ્મણે સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું કે, અમને બધાની ખબર પડી છે કે માહી CSK માટે ઘણો ઈમોશનલ છે. જ્યાં સુધી ધોની ક્રિકેટ રમશે ત્યાં સુધી તે CSKનો કૅપ્ટન રહેશે. મને વિશ્વાસ છે કે ધોની CSK માટે IPLમાં રમશે, જેનું આયોજન ચેપકમાં કરવામાં આવશે. આમ ધોનીનું ફેરવેર IPLમાં થશે.
લક્ષ્મણે ઉમેર્યું કે, મને લાગે છે કે ધોની જ્યારે CSK માટે છેલ્લી મેચ ફેરવેલ ગણાશે. જેમ સચિન તેંડુલકર માટે મુંબઈના વાનખેડેમાં આયોજન કરવામાં આવ્યુ હતુ, તેવી રીતે ધોનીની વિદાય માટે ચેપકમાં આયોજન કરવામાં આવશે.
ધોની ક્યા સુધી IPL રમશે તે હજી સ્પષ્ટ થયુ નથી. આ વર્ષે તે CSKના કૅપ્ટન છે, પરંતુ આવતા વર્ષે ધોની રમશે કે નહી તેની જાણકારી ફ્રેન્ચાઈઝી કે અધિકારીઓને પણ નથી.