13 September, 2020 12:42 PM IST | Lahore | Agency
કામરાન અકમલ
પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલે તાજેતરમાં પાકિસ્તાનના વિરાટ કોહલી ગણાતા બાબર આઝમના પક્ષમાં પોતાના વિચાર પ્રગટ કર્યા છે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં બાબરના પ્રદર્શનની ઘણી ટીકા કરવામાં આવી હતી. બાબર વિશે વાત કરતાં અકમલે કહ્યું કે ‘સૌથી મોટી ટ્રૅજેડી તો એ છે કે લોકોએ બાબર આઝામની ટીકા કરી છે અને કહેવાઈ રહ્યું છે કે તે બરાબર નથી રમી રહ્યો. આવું શા માટે કરો છો? બાબર જેવા પ્લેયરને નીચો પાડવા કરતાં તેને મોટિવેટ કરવો જોઈએ. મારા ખ્યાલથી ટીમ મૅનેજમેન્ટે ફરી એક વાર એના પ્લેયર્સને તેમના સારા પર્ફોર્મન્સ માટે પ્રેરિત કરવા જોઈએ જે તેમના હિતમાં હોય.’