28 November, 2021 02:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃણાલ પંડ્યા
વડોદરામાં રહેતા કૃણાલ પંડ્યાએ બરોડાની ટીમની કૅપ્ટન્સી છોડી દીધી છે. તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફીમાં બરોડાના ખરાબ પર્ફોર્મન્સ (૧ જીત, ૪ હાર) અને સૌથી ઓછા ૪ પૉઇન્ટ મેળવવાને પગલે તેણે આ નિર્ણય લીધો છે. જોકે તે બરોડાની ટીમમાં પ્લેયર તરીકે સામેલ થવાનું પસંદ કરશે. તેના સ્થાને કેદાર જાધવનું નામ સૌથી આગળ છે. કૃણાલ ભારત વતી પાંચ વન-ડે અને ૧૯ ટી૨૦ રમ્યો છે. ગયા વર્ષે દીપક હૂડાએ એવું કારણ આપીને બરોડાની ટીમ છોડી હતી કે કૃણાલે તેને ખૂબ ગાળો આપી હતી. દીપક હવે રાજસ્થાન વતી રમે છે.