અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ડિવૉર્સ કેમ થાય છે ટ્વિટર પર ટ્રેન્ડ

06 June, 2020 07:18 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ડિવૉર્સ કેમ થાય છે ટ્વિટર પર ટ્રેન્ડ

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે

ડિજિટલ પ્લેટફૉર્મ પર જ્યારે અનુષ્કા શર્માના પ્રૉડક્શન અંતર્ગત બનેલી 'પાતાલલોક' રિલીઝ થઈ છે, ત્યારથી તે વિવાદોમાં ચાલી રહી છે. 'પાતાલલોક'માં ઘણાં એવા વિવાદિત શબ્દો અને સીન બતાવવામાં આવ્યા છે જેને કારણે ભાજપ અનુષ્કાથી નારાજ છે. આ વિવાદ ત્યારે વધારે વધ્યો જ્યારે ભાજપ વિધેયક નંદકિશોર ગુજ્જરે વિરાટ કોહલીને સાચ્ચા દેશભક્ત હોવાને નાતે અનુષ્કા શર્માને ડિવૉર્સ આપી દેવાની માગ કરી હતી. આ વાતને અઠવાડિયું પણ નથી થયું કે શુક્રવારે મોડી રાતે ટ્વિચર પર #VirushkaDivorce ટ્રેન્ડ થવા લાગ્યું.

#VirushkaDivorce ટ્વિટર ટ્રેન્ડ પછી અનુષ્કા અને વિરાટ કોહલીને લઈને સોશિયલ મીડિયા પર હવે ઘણાં મીમ્સ જોવા મળી રહ્યા છે. હકીકતે એક યૂઝરે ટ્વિટર પર લખ્યું અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ડિવૉર્સ લઈ રહ્યા છે, ફક્ત આ જ કારણે આના પછી ટ્વિટર પર આ ટ્રેન્ડ કરવા લાગ્યું. જો કે, આ ફેક ન્યૂઝ છે કારણકે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તરફથી ડિવૉર્સની એવી કોઇ વાત કહેવામાં આવી નથી. અનુષ્કા શર્મા વિરાટ કોહલી હાલ લૉકડાઉનમાં એક સાથે સમય પસાર કરી રહ્યા છે. 'પાતાલલોક' પછી અનુષ્કા શર્મા સતત વિવાદોમાં છે જેના પછી હવે #VirushkaDivorce ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ચાહકોના કેટલાક રસપ્રદ મીમ્સ આવી રહ્યા છે. એક ચાહકે તસવીર શૅર કરીને લખ્યું, "વધારે થઈ રહ્યું છે." અન્ય એકએ લખ્યું, "દંગા કરાવશો કે શું તમે." તો વધુ એક ચાહકે આમિર ખાનની ફિલ્મ 'પીકે'ની તસવીર શૅર કરીને લખ્યું, 'હમે નહીં રહેના ઇસ ગોલે પર.' આવા અનેક પ્રકારના મીમ્સ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે.

નોંધનીય છે કે ભાજપ વિધેયક નંદકિશોર ગુજ્જરે 'પાતાલલોક' રિલીઝ થયા પછીથી તેના વિવાદિત સીન્સને જોઇને અનુષ્કા શર્મા વિરુદ્ધ મોરચો શરૂ કરી દેવામાં આવ્યો હતો. અનુષ્કા વિરુદ્ધ તેમણે કેસ પણ દાખલ કરાવ્યો અને પછી વિરાટ કોહલીને માગ કરી હતી કે કે અનુષ્કા શર્માને ડિવૉર્સ આપી દે કારણકે તે દેશ માટે રમે છે અને સાચ્ચો દેશભક્ત છે.

sports news sports cricket news bollywood anushka sharma virat anushka virat kohli