ટી20 વર્લ્ડ કપમાં ધોનીના રિપ્લેસમેન્ટ માટે રાહુલ બેસ્ટ ઑપ્શન છે : ગંભીર

14 April, 2020 11:55 AM IST  |  New Delhi | Agencies

ટી20 વર્લ્ડ કપમાં ધોનીના રિપ્લેસમેન્ટ માટે રાહુલ બેસ્ટ ઑપ્શન છે : ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીરનું કહેવું છે કે ટી૨૦ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા લેવા માટે કે. એલ. રાહુલ બેસ્ટ ઑપ્શન છે. આ વર્ષે કોરોના વાઇરસને કારણે આઇપીએલ ન રમાઈ તો ધોની માટે ટી૨૦ વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ થઈ જશે એવું ગંભીરનું માનવું છે. આ વિશે વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે ‘આ વર્ષે આઇપીએલ રમાડવામાં ન આવી તો કમબૅક કરવું એમ. એસ. ધોની માટે મુશ્કેલ થઈ જશે. ધોની છેલ્લા એકાદ વર્ષથી એક પણ મૅચ રમ્યો ન હોવાથી તેની પસંદગી કેવી રીતે કરવામાં આવશે એ એક સવાલ છે. આઇપીએલ ન રમાઈ તો ધોનીના કમબૅકના ચાન્સિસ નહીંવત્ છે. આખરે તમે ઇન્ડિયા માટે રમી રહ્યા છો અને દેશ માટે જે પ્લેયરનો પર્ફોર્મન્સ બેસ્ટ હોય તેને જ પસંદ કરવામાં આવે.’

ટી૨૦ વર્લ્ડ કપ આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબર-નવેમ્બરમાં રમાડવામાં આવશે. જો ધોનીને રમાડવામાં ન આવ્યો તો તેના ઑપ્શન વિશે પૂછતાં ગંભીરે કહ્યું હતું કે ‘ધોનીના રિપ્લેસમેન્ટ માટે બેસ્ટ ઑપ્શન કે. એલ. રાહુલ છે. તેણે જ્યારથી વાઇટ-બૉલમાં વિકેટકીપિંગ કરી છે ત્યારથી હું તેની બૅટિંગ અને વિકેટકીપિંગના પર્ફોર્મન્સને જોઈ રહ્યો છું. તે ધોની જેટલી સારી રીતે નથી કરી શકતો એ તો દેખીતું છે, પરંતુ તમે ટી૨૦ પર નજર કરશો તો તમે જોઈ શકશો કે તે ૩ અથવા તો ૪ કોઈ પણ નંબરે રમી શકે છે.’

gautam gambhir ms dhoni kl rahul cricket news sports news