ભારત સામે પહેલી 2 ટી20 માટે વિન્ડીઝ ટીમ જાહેર, નારાયણ-પોલાર્ડની વાપસી

23 July, 2019 10:54 PM IST  |  Mumbai

ભારત સામે પહેલી 2 ટી20 માટે વિન્ડીઝ ટીમ જાહેર, નારાયણ-પોલાર્ડની વાપસી

કેરોન પોલાર્ડ અને સુનીલ નારાયણ

Mumbai : ભારત સામે પોતાના ઘરઆંગણે રમાનાર સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે પહેલી 2 ટી20 માટે પોતાની ટીમ જાહેર કરી લીધી છે. ટી20 ટીમમાં સુનિલ નારાયણ અને પોલાર્ડની વાપસી થઇ છે. તો ક્રિસ ગેલ આ ટી20 સીરિઝમાં નહીં રમે. જોકે ઇજાગ્રસ્ત આંદ્રે રસેલને ટીમમાં સ્થાન મળ્યું છે. પરંતુ તેના ફિટનેસ રીપોર્ટ બાદ પ્લેઇંગ 11 માં રમી શકશે. જોકે તે કેનેડા ગ્લોબલ ટી-20 લીગમાં ભાગ લેવાનો હોવાથી રમશે નહીં. સિરીઝની પ્રથમ 2 ટી-20 ફ્લોરિડામાં રમાશે, જ્યારે ફાઇનલ ટી-20 ગયાના ખાતે રમાશે.


સુનીલ નારાયણ છેલ્લે સપ્ટેમ્બર
2016માં વેસ્ટ ઇન્ડિઝ માટે ટી-20 રમ્યો હતો. જયારે પોલાર્ડે પોતાની છેલ્લી ટી-20 મેચ નવેમ્બર 2018માં રમી હતી. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના ચેરમેન પેનલ રોબર્ટ હાયન્સે કહ્યું હતું કે, નારાયણ અને પોલાર્ડ જેવા ખેલાડીઓ ટી-20 ફોર્મેટમાં દિગ્ગજ છે. તેમની પાસે આખા વર્લ્ડમાં ટી-20 લીગ રમવાનો અનુભવ છે. તેઓ માનસિક અને શારીરિક રીતે વિન્ડીઝ માટે રમવા તૈયાર હોવાથી તેમની પસંદગી થઇ છે.


વિન્ડીઝની ટીમમાં વિકેટકીપર બેટ્સમેન એન્થની બ્રેમ્બલને મેડન કોલ મળ્યો છે. તેણે
12 ટી-20 મેચ અને 46 લિસ્ટ-A મેચો રમી છે અને ભારત સામે ડેબ્યુ કરી શકે છે. તે સિવાય ટીમમાં ખેરી પિયર અને જોહન કેમ્બલ જેવા ઓછા જાણીતા ચેહરા પણ છે. બંને તાજેતરમાં ઇન્ડિયા-A વિરુદ્ધ રમ્યા હતા.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

ભારત સામેની સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ
કાર્લોસ બ્રેથવેટ (સુકાની), ઇવાન લુઇસ, જોન કેમ્પબેલ, કીરોન પોલાર્ડ, શિમરોન હોટમાયર, નિકોલસ પૂરન, આંદ્રે રસેલ, રોવમૈન પાવેલ, કીમો પૈલ, સુનીલ નારાયણ, કૈરે પિયરે,ઓશાને થોમસ, એન્થની બ્રામ્બલે, શેલ્ડન કાર્ટેલ.

cricket news west indies kieron pollard sunil narine team india chris gayle