બુમરાહ શ્રીલંકા સામે વન-ડે નહીં રમે, ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-શ્રેણી માટે પણ ડાઉટફુલ કહી શકાય

10 January, 2023 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ગઈ કાલે શ્રીલંકા સામેની આજે શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણી માટેની ટીમની બહાર થઈ ગયો હતો

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહને ગયા વર્ષના ટી૨૦ વર્લ્ડ કપના સમયથી પીઠની ઈજા સતાવી રહી છે. તે ગઈ કાલે શ્રીલંકા સામેની આજે શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણી માટેની ટીમની બહાર થઈ ગયો હતો અને હવે ફેબ્રુઆરી-માર્ચની ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ-સિરીઝમાં પણ કદાચ નહીં રમે. તેને એક મહિનો આરામ કરવાનું કહેવામાં આવ્યું છે જે જોતાં કદાચ ટેસ્ટ-શ્રેણીના બીજા તબક્કામાં રમી શકશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ગુવાહાટીમાં પહેલી વન-ડે છે અને એ માટે બુમરાહ ગુવાહાટી નથી આવ્યો એવી જાણ ગઈ કાલે મીડિયાને કરવામાં આવી હતી. ઑક્ટોબરમાં ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો હોવાથી ટીમ મૅનેજમેન્ટ બુમરાહને ૧૦૦ ટકા ફિટનેસ હાંસલ થાય એ પહેલાં રમાડવાની ઉતાવળ નથી કરવા માગતું.

sports news sports indian cricket team cricket news test cricket jasprit bumrah