01 January, 2020 04:03 PM IST | Mumbai
અનિલ કુંબલે
(આઇ.એ.એન.એસ.) અનિલ કુંબલેનું કહેવું છે કે આઇપીએલના પર્ફોર્મન્સ પરથી નક્કી કરવામાં આવશે કે મહેન્દ્ર સિંહ ધોની ટી૨૦ વર્લ્ડ કપમાં રમશે કે નહીં. વર્લ્ડ કપ પૂરો થયા બાદ હજી સુધી મહેન્દ્ર સિંહ ધોની એકપણ મૅચ રમ્યો નથી. આ કારણસર ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં તેના સ્થાનને લઈને અનેક વાતો ચાલી રહી છે. આ વિશે અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘ધોની ટી૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમનો ભાગ હશે કે નહીં એ વાત તેની આઇપીએલની ગેમ પરથી નક્કી કરવામાં આવશે છતાં જો ટીમ ઇન્ડિયાના પ્લેયર એમ ઇચ્છતા હોય કે તેમને ધોનીની સર્વિસની જરૂર છે તો એ પ્રમાણે આગળ વધવામાં આવશે, પણ એ બધા માટે આપણે રાહ જોવી પડશે. જોકે મને લાગે છે કે ટીમમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા વિકેટ લેનારા બોલરોની જરૂર છે. વળી તમને ખબર છે કે ભેજને કારણે બૉલ જલદી ભીનો થાય છે તો એ માટે ટીમમાં બે રિસ્ટ-સ્પિનરો હોવું વધુ સારું છે.’