જિતાડ્યા પછી રાયડુ મેદાન પર જ ઝઘડી પડ્યો

15 May, 2012 04:46 AM IST  | 

જિતાડ્યા પછી રાયડુ મેદાન પર જ ઝઘડી પડ્યો

ગઈ કાલે અંબાતી રાયુડુએ મુંબઈ ઇન્ડિયન્સને જીત અપાવી ત્યાર પછી તેની અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના બોલર હર્ષલ પટેલ વચ્ચે ઝઘડો થયો હતો અને એકમેક સામે ઉશ્કેરાઈ ગયા હતા. રાયુડુએ જીત સેલિબ્રેટ કરતી વખતે હર્ષલ તરફ કંઈક કૉમેન્ટ કરી હતી જેને લીધે હર્ષલ ગુસ્સે થયો હતો.

જોકે બૅન્ગલોરની ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી સાથીપ્લેયર હર્ષલના પડખે આવ્યો હતો. કોહલીએ પત્રકારોને કહ્યું હતું કે ‘રાયુડુએ વિજય મનાવતી વખતે હર્ષલ પટેલ તરફ આવીને કૉમેન્ટ કરવાને બદલે પોતાની ટીમના ડગઆઉટમાં જવું જોઈતું હતું. રાયુડુએ આ રીતે જીતનો પ્રત્યાઘાત આપવાની જરૂર નહોતી.’

કીરૉન પોલાર્ડે કહ્યું હતું કે ‘મુંબઈની ટીમ આક્રમક છે એટલે આવા બનાવો સામાન્ય કહેવાય. જોકે અમે બન્ને ટીમોએ છેલ્લે સમાધાન કરી લીધું હતું અને એકમેક સાથે હાથ મિલાવ્યા હતા.’

તસવીરો : એએફપી