15 May, 2012 04:46 AM IST |
જોકે બૅન્ગલોરની ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી સાથીપ્લેયર હર્ષલના પડખે આવ્યો હતો. કોહલીએ પત્રકારોને કહ્યું હતું કે ‘રાયુડુએ વિજય મનાવતી વખતે હર્ષલ પટેલ તરફ આવીને કૉમેન્ટ કરવાને બદલે પોતાની ટીમના ડગઆઉટમાં જવું જોઈતું હતું. રાયુડુએ આ રીતે જીતનો પ્રત્યાઘાત આપવાની જરૂર નહોતી.’
કીરૉન પોલાર્ડે કહ્યું હતું કે ‘મુંબઈની ટીમ આક્રમક છે એટલે આવા બનાવો સામાન્ય કહેવાય. જોકે અમે બન્ને ટીમોએ છેલ્લે સમાધાન કરી લીધું હતું અને એકમેક સાથે હાથ મિલાવ્યા હતા.’
તસવીરો : એએફપી