આયોજકોએ ભારતીય બૉક્સર સામેના પક્ષપાતની ફરિયાદ તરત ફગાવી દીધી

01 August, 2012 05:36 AM IST  | 

આયોજકોએ ભારતીય બૉક્સર સામેના પક્ષપાતની ફરિયાદ તરત ફગાવી દીધી

સુમીતે બીજા અને ત્રીજા રાઉન્ડમાં પ્રભુત્વ જમાવ્યું હોવા છતાં જજોએ તેને પૂરતા પૉઇન્ટ ન આપ્યા હોવા બદલ ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય બૉક્સરોના કોચ ગુરબક્ષસિંહ સંધુએ પત્રકારોને કહ્યું હતું કે ‘અમારી ફરિયાદ નકારી કાઢવામાં આવી છે. આયોજકોએ આ માટે કોઈ કારણ નથી આપ્યું, પરંતુ અમે જાણીએ છીએ કે આવા કિસ્સાઓમાં થતી ફરિયાદ સ્વીકારવામાં આવી હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.’