પાકિસ્તાને બૅન્ગલોર ને અમદાવાદની મૅચ માટે ટિકિટો માગવાનું માંડી વાળ્યું

22 December, 2012 11:01 AM IST  | 

પાકિસ્તાને બૅન્ગલોર ને અમદાવાદની મૅચ માટે ટિકિટો માગવાનું માંડી વાળ્યું


અગાઉ આ બોર્ડે બૅન્ગલોર અને અમદાવાદની મૅચની ૫૦૦-૫૦૦ ટિકિટ ભારતીય બોર્ડ પાસે માગી હતી. પાકિસ્તાન બોર્ડને ચેન્નઈ અને કલકત્તાની વન-ડે માટે પણ અગાઉ ૫૦૦-૫૦૦ ટિકિટ જોઈતી હતી, પરંતુ હવે એણે ભારતીય બોર્ડને કહેવડાવ્યું છે કે એને આ બે મૅચની ફક્ત પચીસ-પચીસ ટિકિટ જોઈએ છે.

પાકિસ્તાની ટીમ આજે ભારતમાં


પાકિસ્તાનના ક્રિકેટરો પચીસમી ડિસેમ્બરે ભારતમાં શરૂ થનારી T20 સિરીઝ અને ત્યાર પછીની વન-ડે સિરીઝ રમવા આજે લાહોરથી દિલ્હી થઈને રાત્રે ૯.૦૦ વાગ્યે બૅન્ગલોર પહોંચશે.